જય સિઘ્ઘનાથ મહાદેવ, જય સતવારા
સતવારા કેળવણી વિકાસ મંડળ, ભાણવડ સ્થાપના તા.ર૩/૦૮/૨૦૦૩ જે શરુઆત માં સતવારા સમાજ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ભાણવડ ના નામ થી કાર્યરત થયુ તે આજે આપણી જ્ઞાતીના સાથ સહકાર તથા આપણા સહીયારા પ્રયત્નો દવારા ભાણવડ સતવારા જ્ઞાતીના વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે મદદરૂપ થઇ શકયા છીએ. આપણે સાથે મળીને સમાજ ના સહકારથી મોટુ નાણાકીય ભંડોળ એકઠુ કરી શકયા છીએ. આ નાણાકીય ભંડોળ ના ઉપયોગ થી આપણા સમાજ ના ઘણા વિદ્યાર્થી ભાઇ-બહેનો ના ઉચ્ચ શિક્ષણ મેળવવા માટેના પ્રયત્નો માં સહભાગી થઇ શકયા છીએ જેના ફળ સ્વરૂપે, પરીણામે આપણા આ વિદ્યાર્થી ભાઇ-બહેનો ઉચ્ચ શિક્ષણ મેળવી સારી રોજગારી (નોકરી) મેળવી શકયા છે. જે આપણી સફળતાની નિશાની છે.
આપણે સહુ શિક્ષીત છીએ, સમાજ આપણી પાસે ખૂબજ મોટી અપેક્ષાઓ રાખે છે. આપણા સમાજે શિક્ષણ ક્ષેત્રે હરણફાળ ભરી છે. શિક્ષણ વિના સમાજ અઘુરો છે. શિક્ષણ પ્રત્યેની સમાજની અપેક્ષા અરમાનો પૂર્ણ કરવા આપણે અને આપણા મંડળ દવારા, સમાજના સહકાર દવારા શિક્ષણ ક્ષેત્રે ક્રાંતી લાવવાની છે. ભાણવડ સતવારા સમાજના એકપણ દિકરા-દિકરી શિક્ષણથી વંચીત ન રહે તેવા પ્રયત્નો આપણે સાથે રહીને કરવા ના છે. વિચાર ભેદ દૂર કરી ને, અરસપરસ વિશ્વાસ કેળવી, વિશ્વાસમૂકી સમાજ ઉપયોગી કાર્યમાં મદદરૂપ થવાનુ છે.
અન્ય સમાજ કે સંસ્થાઓની સાથે સરખામણી નહી કરતા આપણે જયા છીએ ત્યાથી ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરવાના પ્રયત્નો કરવાના છે. તમારી પાસે જ્ઞાન હોય, સમય હોય, ઘન હોય અને શક્તિ હોય તથા સારા વિચારો હોય તેનો સમાજના વિકાસ માટે ઉપયોગ કરવાનો છે.
આપની પાસે સમાજ વિકાસ માટે, શિક્ષણ ના સારા વિચાર હોય નવા સુચનો હોય તો મંડળમાં સક્રિય બની આપણા મંડળની પ્રવૃતિઓને વેગ આપવા અનુરોઘ કરવામાં આવે. છે.
આવો આપણે સહુ સાથે મળી શિક્ષણના અભિયાનને સફળ બનાવીએ.